અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

Biporjoy Cyclone Sahay 2023; સ્થળાંતર કરવામાં આવેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે, વ્યકતિદિઠ કેટલી મળશે સહાય

Biporjoy Cyclone Sahay 2023 : અરબી સમુદ્રમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારના આગોતરા આયોજનના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 9 તાલુકાના 442 ગામો અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. હવે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.




Biporjoy Cyclone Sahay 2023

રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ કરીને બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયના ધોરણ જાહેર કર્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 દિવસ લેખે સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેમાં પુખ્ત વયના વ્યક્તિને દૈનિક 100 રૂપિયા અને બાળકોને દૈનિક 60 રૂપિયા ચૂકવવામાં આવશે.

  • યોજનાનુ નામ : Biporjoy Cyclone Sahay 2023
  • આર્ટીકલ પ્રકાર : સરકારી યોજના
  • વ્યકતિદિઠ મહતમ રૂ. દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500)
  • બાળકદિઠ રકમ દૈનિક રૂ.600 (વધુ મા વધુ રૂ.300)

મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

5 દિવસની કેશડોલ ચૂકવાશે

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય આપવી જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

શું છે કેશડોલ્સ સહાય?

કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તો વિસ્તારોના નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવામા આવે છે. વહિવટીતંત્ર દ્વારા Biporjoy Cyclone Sahay 2023 વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે.
વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવામા આવે છે.

ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?

આ સંજોગોમાં અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં કેશડોલની રકમ જમા કરવી અને ઉપાડવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે રોકડ સહાયનો મુદ્દો વિચારણા હેઠળ હતો. તેથી, Biporjoy Cyclone Sahay 2023 ચક્રવાતથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાબતને ધ્યાનમાં લઈને, સરકાર નીચે મુજબ નિર્ણય કરે છે.

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ દ્વારા શું સહાય આપવામાં આવશે?

બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.

Biporjoy Cyclone Sahay 2023 ઠરાવ : અહીં ક્લિક કરો

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્ર્સ્તો ને કેટલી સહાય મળશે ?

  • વ્યક્તિદિઠ દૈનિક રૂ.100
  • બાળકદિઠ દૈનિક રૂ.60