કામની વાત: ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો શું કરવું? રકમ તરત જ પાછી મળશે

સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતાએ ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપ્યું છે. UPI તેને દૂર-દૂરના ગામડાઓમાં લઈ ગયું છે. આનાથી ઘણી બેંકિંગ કામગીરી ખાસ કરીને પૈસાની લેવડ-દેવડ પળવારમાં શક્ય બની છે.




  • ભૂલથી અન્ય બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું
  • ભૂલથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયેલા પૈસા પાછા કેવી રીતે મેળવવા
  • લાભાર્થીના ખાતા વિશે સાચી માહિતી આપવાની જવાબદારી લિંક કરનારની છે
આપણે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ, તેમ છતાં ભૂલો થઈ શકે છે. જો એક નંબર પણ ખોટો થાય તો તમારી મહેનતની કમાણી ખોટા ખાતામાં જતી રહે છે. હવે આ પ્રકારની ભૂલથી અન્યના ખાતામાં મોકલાયેલા નાણા પરત મેળવવા માટે આરબીઆઈએ કેટલીક જાહેરાત કરી છે. જેને અનુસરીને તમે ભૂલથી અન્ય કોઈના ખાતામાં મોકલેલા નાણા પરત મેળવી શકશો. જાણો કેવી રીતે ?

ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો શું કરવું?

ઘણી વખત ઓનલાઈન બેંકિંગમાં ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ વોલેટે બેન્કિંગ વ્યવહારો સંબંધિત મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી છે. હવે માત્ર એક મોબાઈલથી પૈસા ટ્રાન્સફરનું કામ ગણતરીની મિનીટમાં થઈ જાય છે. પરંતુ ઘણી વખત આમાં ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થાય છે.

રકમ તરત જ પાછી મળશે

બેંકિંગ સુવિધાઓ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ નવા ફીચર્સ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ વધી છે. ઘણી વખતની જેમ, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં ભૂલથી અન્ય બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. જો તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો તમે શું કરશો? તે પૈસાને પાછા કઈ રીતે લેશો? જો તમારી સાથે પણ આવું થયું છે તો તમને આ રકમ પરત મળી શકે છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા.

તરત જ બેંકને જાણ કરો

જો તમારી સાથે આવું કશુ થયું છે, તો જેમ તમને ખબર પડે કે તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત જ તમારી બેંકને જાણ કરો અને પૂરી વાત કરો. જો બેંક તમને ઈ-મેલ પર તમામ માહિતી માંગે છે, તો તેમાં આ ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ માહિતી આપો. ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય, તમારો એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા તેનો પણ ઉલ્લેખ કરો.

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થાય તો…

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો પૈસા પાછા મેળવવામાં થોડો સમય લાગી શકે છે. તમે પહેલા બ્રાન્ચમાં જાઓ અને મેનેજરને તેના વિશે જાણ કરો. કારણ કે તમે તમારી બેંકમાંથી જાણી શકો છો કે કયા શહેરની કઇ શાખામાં કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે. તમે તે શાખા સાથે વાત કરીને તમારા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી શકો છો. તમારી માહિતીના આધારે, બેંક તે વ્યક્તિને જાણ કરશે જેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. આ પછી, બેંક તે વ્યક્તિને ખોટી રીતે ટ્રાન્સફર કરેલા પૈસા પરત કરવાની પરવાનગી માંગશે.

તાત્કાલિક કેસ નોંધો

જે વ્યક્તિના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, જો તે પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે, તો તેની સામે કોર્ટમાં કેસ પણ દાખલ થઈ શકે છે. જો કે, પૈસા પરત ન કરવાના કિસ્સામાં, આ અધિકાર રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, લાભાર્થીના ખાતા વિશે સાચી માહિતી આપવાની જવાબદારી લિંક કરનારની છે. જો, કોઈપણ કારણોસર, લિંક કરનાર ભૂલ કરે છે, તો બેંક તેના માટે જવાબદાર રહેશે નહીં.

બેંક માટે આરબીઆઈની સૂચનાઓ

જ્યારે તમે બેંક ખાતામાંથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો, ત્યારે તમને એક સંદેશ મળે છે. તેમાં એવું પણ લખ્યું છે કે જો ટ્રાન્ઝેક્શન ખોટું છે તો કૃપા કરીને આ નંબર પર મેસેજ મોકલો. આરબીઆઈએ બેંકોને પણ સૂચના આપી છે કે જો ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા થઈ જાય તો તમારી બેંકે જલ્દી કાર્યવાહી કરવી પડશે. તમારા પૈસા ખોટા ખાતામાંથી સાચા ખાતામાં પરત કરવા માટે બેંક જવાબદાર છે.

આ છે અંતિમ ઉપાય

જેના ખાતામાં પૈસા ગયા હોય તે વ્યક્તિ તેને પરત કરવાનો ઇનકાર કરે તો પ્રક્રિયા લાંબી થઈ શકે છે. આ સ્થિતિમાં તમારે કોર્ટનો સહારો લેવો પડી શકે છે. તમારે કોર્ટ તરફથી નોટિસ મોકલીને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની જરૂર પડી શકે છે. રિઝર્વ બેંકનો નિયમ કહે છે કે, આ માટે બેંકો દોષિત નથી. તમે બધી વિગતો જાતે જ ભરો છો, તેથી બધી જવાબદારી પણ તમારી બની જાય છે.