JNVST Class 6 Admission Form 2023-24 - Direct Link Notification

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25 : ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ આપમાં આવે છે. આ પ્રવેશ માટે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગયેલ છે.






નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2024-25

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2023-24મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2012 થી 31/07/2014 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2024-25

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • રહેવા અને જમવાની સુવિધા સાથે મફત શિક્ષણ
  • પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2022માં 7585 વિદ્યાર્થીઓમાંથી 4296 (56.6%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2022માં 3000 વિદ્યાર્થીઓમાંથી 1010 (33.7%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2022માં 24807 વિદ્યાર્થીઓમાંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2022-23માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.14%, Class – XII : 97.51%.
નવોદય વિદ્યાલય પ્રવેશ માટે યોગ્યતા

  • જીલ્લાના અસલ રહેવાસી હોય તેમજ તેજ જીલ્લાની સરકારી / સરકાર માન્ય શાળામાં શૈક્ષણિક સત્ર 2023-24માં ધોરણ 5માં અભ્યાસ કરતા ઉમેદવાર કે જ્યાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે જેમાં તેઓ પ્રવેશ માટે પાત્ર છે.
  • સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ 3 અને 4માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય.
  • જે જીલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જીલ્લાની શાળામાં ધોરણ 5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
  • ઉમેદવાર તારીખ 01-05-2012 અને 31-07-2014 (બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ.
નવોદય વિદ્યાલય અનામત આરક્ષણ
  • ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી 75% જગ્યાઓ અનામત રહેશે.
  • કન્યાઓ માટે 1/3% જગ્યાઓ અનામત રહેશે.
  • ઓ.બી.સી/અનુ.જાતિ/અનુ.જન.જાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ભારત સરકારશ્રીના નિયમાનુસાર અનામત રહેશે.
  • નવોદય પ્રવેશ પરીક્ષા ડોક્યુમેન્ટ લિસ્ટ
  • સત્તાવાર જાહેરાત વાંચો.

ઉપયોગી લિંક

વિગતવાર માહિતી :- અહીં ક્લિક કરો

અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો


જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25 FAQs

જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

અરજી છેલ્લી તારીખ: 10-08-2024